ડોકના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે થાય છે ? સામાન્ય સંજોગોમાં “કરોડરજ્જુ’ ઉપર કોઈ જાતનું દબાણ ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન ડોકની રચનામાં રહેલું જણાય છે. આમ છતાં જ્યારે ડોકના ભાગ ઉપર કંઈ વાગવાને લીધે ઈજા થાય છે કે બીજા કોઈ કારણસર તેના સ્નાયુ ખેંચાઈ જાય છે કે વા, સંધિવા જેવા રોગો થાય છે ત્યારે […]
Know More
રાંઝણ (સાયેટિકા) અને એક્યુપંક્ચરએક્યુપંચરથી કોઇ પણ પ્રકારના દુખાવાની જેમ સાયેટિકા અથવા રાંઝણનો દુઃખાવો પણ ખૂબ ઝડપથી મટી જાય છે. સાયેટિકા નામનો જ્ઞાનતંતુ (નર્વ) શરીરમાં આવેલો સૌથી લાંબો જ્ઞાનતંતુ છે અને તે કમરમાંથી લંબરના ચોથા પાંચમા મણકા અને સેકરલના પહેલા બીજા મણકા આગળથી શરૂ થાય છે. ત્યાં આગળ તે આશરે બે સેમીની જાડાઈ ધરાવે છે. ત્યાંથી […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો ક્યાં થાય છે? સાથેટિકામાં દુખાવો થાપાની પાછળના ભાગમાં અથવા બાજુના ભાગમાંથી પગના તળિયા સુધી થઈ શકે છે. આ દુઃખાવો થાપામાં ખૂબ તીક્ષ્ણ અથવા ધીમો ધીમો હોય છે. આની સાથે જ કમરમાં પણ દુખાવો થઈ શકે છે. દર્દીને પથારીમાં પડ્યા રહેવું પડે છે. સહેજ પણ હલનચલન કરવાથી દુખાવો વધી જાય તેવું પણ […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો થાય તો આ સારવાર કઈ રીતે મદદરૂપ થાય ? પંદર દિવસમાં જ દર્દી હરતોફરતો થઈ શકે છે. આના માટે સામાન્ય રીતે બીજી ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતાં આશરે બે મહિના લાગી જાય છે. જ્યારે દુખાવો ખૂબ હોય ત્યારે દર્દીને શરૂઆતમાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પછી જેમજેમ સુધારો થતો જાય […]
કમરના દુખાવા માટે એક્યુપંક્ચર સારવાર કોઈ પણ પ્રકારના દુખાવાની જેમ કમરના દુખાવામાં પણ એક્યુપંક્ચર ખૂબ અકસીર છે. પૂરી તપાસ કર્યા બાદ કમરના દુઃખાવામાં એક્યુપંક્ચરની સારવાર શરૂ કરવામાં આવે છે. આમાં દર્દીને પડખાભેર અથવા તો ઊંધા સુવાડીને એકથી દોઢ ઇંચ લાંબી સોય કમરમાં મણકાની બંને બાજુએ આવેલા ચોક્કસ પોઈન્ટ પર લગાવવામાં આવે છે. આ ઉપરાંત પગમાં […]
એક્યુપંક્ચરની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને અસરકારક છે. એક્યુપંક્ચરથી શરીરમાં બહારની કોઈ દવા દાખલ કરવામાં આવતી નથી પણ શરીરની પોતાની પ્રાણશક્તિને જ કાર્યરત કરીને રોગ મટાડવામાં આવે છે. આમાં જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં આવેલા ખાસ પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. તેથી તે ખૂબ જ આરામથી સારવાર લઈ શકે છે. એક્યુપંક્ચરનો ખાસ […]
દર્દીને તપાસવાથી આનો ખ્યાલ આવી શકે છે. પણ મોટા ભાગના કેસોમાં રોજ ૧૦ દિવસની સારવારમાં જ કમરમાં થતા ચોક્કસ જગ્યાએ દુખાવો થાય છે કે જુદી જુદી જગ્યાએ વગેરે જોવામાં આવે છે. કોઈ વખત પડી જવાથી કે અકસ્માતમાં ઈજા થયા બાદ દુખાવો શરૂ થયો છે કે કેમ વગેરે જાણવામાં આવે છે. જરૂર પડે તો એક્સ-રે લેવામાં […]
સામાન્ય રીતે લોહીનું દબાણ (હાયપરટેન્શન) અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ ૪૦ વર્ષની ઉંમર પછી થતા રોગોમાં મુખ્ય રોગો છે. પણ આ ઉપરાંત એક અગત્યનો અન્ય રોગ પણ છે, હાડકાના ઘસારાને લીધે થતો વા, એટલે કે “ઓસ્ટિઓઆર્થાઈટિસ’. એમાં ખાસ કરીને ઢીંચણના સાંધા(જોઈન્ટ)માં હાડકાંના ઘસારાને લીધે થતો વા વિશેષ જોવા મળે છે. ખૂબ કાર્યક્ષમ વ્યક્તિને આ જાતની વાની […]
ક્યા પ્રકારના લોકોમાં ઢીંચણનો દુખાવાનો જોવા મળે છે? આ જાતનો વા મેદસ્વી એટલે કે જાડા માણસોમાં વધુ જોવા મળે છે. દુખાવાને લીધે દર્દી હલનચલન બને એટલું ઓછું કરતો હોવાથી તેનું વજન ધીમે ધીમે વધતું જાય છે. વધારે પડતો શ્રમ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખ્યા વિના કરવામાં આવતું કામ પણ ઘસારાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વળી […]
ઢીંચણના સાંધામાં ક્યારે અને કઈ જગ્યાએ દુખાવો થાય છે? આ રોગમાં, સાંધો જ્યારે ઉપયોગમાં હોય ત્યારે અને પછી દુખાવો થતો હોય છે. જેમકે, જ્યારે દર્દી ચાલે ત્યારે અથવા થોડું ચાલી લીધા પછી ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે. દુખાવો માત્ર સાંધાની આગળ જ થાય છે અથવા આજુબાજુના સ્નાયુઓમાં પણ થાય છે. કોઈ વાર તો જ્ઞાનતંતુ દ્વારા […]
જુદી જુદી ચિકિત્સાપદ્ધતિઓની સરખામણીમાં એક્યુપંક્ચર સંધિવા માટે વધુ અસરકારક છે. આ રોગમાં દર્દીને શરીરનાં હાથ, પગ અને કમર વગેરેમાંથી ક્યા ભાગમાં સાંધામાં વધુ તકલીફ છે, તે નક્કી કર્યા પછી સોય લગાડવામાં આવે છે. હાથનાં આંગળાં કાંડાં તેમજ કોણીમાં દુખાવો વધુ પ્રમાણમાં હોય તો તેને ત્યાંના સંધિવાના રોગ માટેના ખાસ પોઈન્ટ પર સોય લગાવવામાં આવે છે. […]
લકવાના દર્દી ખૂબ નિરાશ થઈ જાય છે જયારે કોઈ પણ માણસને લકવો થાય છે. ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ હોસ્પિટલમાં અથવા ઘેર તેને જોવા તેના લગભગ દરેક સગાં-નજીકના અને દૂરના તેમજ મિત્રો વગેરે ઉમટી પડે છે. અને તેની જિંદગી હવે કેવી નિરાશાજનક જશે તેનું દુઃખ વ્યક્ત કરે છે. પણ થોડા દિવસ પછી માત્ર નજીકના સગાં […]
એક્યુપંક્ચર સારવારની ખાસ વિશિષ્ટતા શું છે ? એક્યુપંક્ચરની સારવારમાં ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે અને તે શરીરમાં ઊંડે સુધી જાય છે. વળી એક સાથે આવાં અનેક પોઈન્ટ ઉપર સોય લગાવી શકાય છે. તેમજ તેને ઈલેક્ટ્રાસ્ટીમ્યુલેટર વડે ઉત્તેજિત કરવામાં આવે છે. તેથી તેની તીવ્રતા, ગતિ વગેરે એકદમ ચોક્કસ રહે છે. આમાં દરેકે દરેક પોઈટ […]
એક્યુપંક્ચર લકવાના દર્દી માટે એક નવી આશા સમાન છે. કારણ કે લકવામાં તેનાથી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચે, સુધારો થઈ શકે છે. લકવો માત્ર એક હાથનો અથવા એક પગનો થઈ શકે છે, બંને હાથનો થઈ શકે છે, શરીરની ડાબી કે જમણી બાજુના હાથપગનો થઈ શકે છે. કોઈ વાર એક બાજુનો હાથ અને બીજી બાજુનો પગ આવી […]
લકવો જુદાં જુદાં કારણોને લીધે થતો હોવાથી તેનાં લક્ષણો પણ જુદાં જુદાં હોય છે અને એક્યુપંક્ચરથી દરેક કેસમાં કેવું પરિણામઆવશે તેનો આધાર કયાં કારણોથી લકવો થયો છે તેના ઉપર પણ રહે છે. આથી જ દર્દીની પૂરી તપાસ કરાવી તેનું યોગ્ય નિદાન થાય પછી જ એક્યુપંક્ચર કરવામાં આવે છે. એટલું જ નહિ પણ ફિઝિશિયનને બતાવી ઍલૉપથીની […]
સુંદર ચહેરો જોતાવેંત જ દરેકને આનંદ થતો હોય છે તો હાસ્ય, રુદન, ગુસ્સો વગેરે હાવભાવ પણ ચહેરા પરથી જ વ્યક્ત થતા હોય છે. જયારે ચહેરાનો લકવો થાય ત્યારે માનવી કોઈની સામે જતાં ખૂબ સંકોચ અનુભવે છે. ભલે મોટી ઉંમરે આ પ્રકારનો લકવો થયો હોય તો પણ તેને બીજા સાથે વાતચીત કરવામાં, મળવામાં ખૂબ મુશ્કેલી અનુભવવી પડે […]
શરીરનું વજન ઉતારવા માટે એક્યુપંક્ચરમાં જે સારવાર આપવામાં આવે છે તેને લીધે વજન ઘટવાની સાથે શરીરમાં બીજા અનેક ફેરફારો થતા હોવાથી આ સારવારને કાયાકલ્પ કોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયાકલ્પ કોર્સ કરી ફરી યુવાન બનો, વધતી ઉંમરને અટકાવો કાયાકલ્પ કોર્સથી વજન ઘટે છે અને શરીર સપ્રમાણ, ચુસ્ત, સ્ફૂર્તિલું અને યુવાન રાખી શકાય છે. શ્વાસની […]
૩૦ વર્ષની ઉંમરે ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતી વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમરે ૮૬ કિલોની કેમ થઈ જાય છે ? આપણું શરીર એક કોમ્પ્યુરાઈઝુડ સિસ્ટમજેવું છે. દરરોજ જે ખોરાક લેવામાં આવે છે તેમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ વગેરે જરૂરી પ્રમાણમાં મળે છે અને જેટલા પ્રમાણમાં તેની જરૂર હોય તેટલો જ ખોરાક લેવામાં આવે છે. આ રીતે ખોરાકનું […]
(૧) લગ્ન અગાઉ યુવાન બહેનો માટે : ઘણી છોકરીઓમાં રજસ્વલા થવાની શરૂઆત થાય કે વજન વધતું જોવા મળે છે. આના કારણે એવું બને છે કે ૧૮ વર્ષની કે તેથી વધુ વયમાં જ સ્થૂળતાના કારણસર લગ્ન થવામાં મુશ્કેલી નડતી હોય છે. એક્યુપંક્ચરની મદદથી આવી યુવતીઓ વજન ઉતારી શકે છે, શરીરનો સુંદર આકાર પાછો મેળવી શકે છે […]
ડિલીવરી પછી એક્યુપંક્ચર સારવાર ખુબ ઉપયોગી છે. સામાન્ય રીતે પ્રસૂતિ પછી ૧૨મા દિવસે માતાને સારવાર આપી શકાય છે. આમ, તો પ્રસૂતિ પછી શરૂઆતના મહિનામાં વજન ઘટીને નોર્મલ આવતું હોય છે. આ રીતે પ્રસૂતિ દરમ્યાન વજન વધે અને પછી લગભગ રથી૮ અઠવાડિયામાં વજન ઘટીને પ્રેગનન્સી અગાઉના વજન જેવું થઈ જતું હોય છે. જો આમ વધેલું વજન […]
પુરુષોમાં ઘણી વાર ૨૫ વર્ષની ઉંમર પછી, લગ્ન પછી, ખોરાકમાં થતા ફેરફારો તેમજ શરીરમાં થતા ફેરફારોને કારણે વજન વધી જતું હોય છે. મોટે ભાગે વજનની આ વૃદ્ધિશરીરના પેટના ભાગમાં ચરબીના થરરૂપે જમા થવાને લીધે જોવા મળે છે. એનાથી ઘણી વાર ૯૦ કે ૧૦૦ કિલો અથવા તેથી વધુ વજન ધરાવતા લોકોનું પેટ ફુલી ગયેલું જોવા મળે […]