રાંઝણ (સાયેટિકા) અને એક્યુપંક્ચરએક્યુપંચરથી કોઇ પણ પ્રકારના દુખાવાની જેમ સાયેટિકા અથવા રાંઝણનો દુઃખાવો પણ ખૂબ ઝડપથી મટી જાય છે. સાયેટિકા નામનો જ્ઞાનતંતુ (નર્વ) શરીરમાં આવેલો સૌથી લાંબો જ્ઞાનતંતુ છે અને તે કમરમાંથી લંબરના ચોથા પાંચમા મણકા અને સેકરલના પહેલા બીજા મણકા આગળથી શરૂ થાય છે. ત્યાં આગળ તે આશરે બે સેમીની જાડાઈ ધરાવે છે. ત્યાંથી […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો થાય તો આ સારવાર કઈ રીતે મદદરૂપ થાય ? પંદર દિવસમાં જ દર્દી હરતોફરતો થઈ શકે છે. આના માટે સામાન્ય રીતે બીજી ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતાં આશરે બે મહિના લાગી જાય છે. જ્યારે દુખાવો ખૂબ હોય ત્યારે દર્દીને શરૂઆતમાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પછી જેમજેમ સુધારો થતો જાય […]
એક્યુપંક્ચરની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને અસરકારક છે. એક્યુપંક્ચરથી શરીરમાં બહારની કોઈ દવા દાખલ કરવામાં આવતી નથી પણ શરીરની પોતાની પ્રાણશક્તિને જ કાર્યરત કરીને રોગ મટાડવામાં આવે છે. આમાં જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં આવેલા ખાસ પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. તેથી તે ખૂબ જ આરામથી સારવાર લઈ શકે છે. એક્યુપંક્ચરનો ખાસ […]
સામાન્ય રીતે લોહીનું દબાણ (હાયપરટેન્શન) અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ ૪૦ વર્ષની ઉંમર પછી થતા રોગોમાં મુખ્ય રોગો છે. પણ આ ઉપરાંત એક અગત્યનો અન્ય રોગ પણ છે, હાડકાના ઘસારાને લીધે થતો વા, એટલે કે “ઓસ્ટિઓઆર્થાઈટિસ’. એમાં ખાસ કરીને ઢીંચણના સાંધા(જોઈન્ટ)માં હાડકાંના ઘસારાને લીધે થતો વા વિશેષ જોવા મળે છે. ખૂબ કાર્યક્ષમ વ્યક્તિને આ જાતની વાની […]
ક્યા પ્રકારના લોકોમાં ઢીંચણનો દુખાવાનો જોવા મળે છે? આ જાતનો વા મેદસ્વી એટલે કે જાડા માણસોમાં વધુ જોવા મળે છે. દુખાવાને લીધે દર્દી હલનચલન બને એટલું ઓછું કરતો હોવાથી તેનું વજન ધીમે ધીમે વધતું જાય છે. વધારે પડતો શ્રમ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખ્યા વિના કરવામાં આવતું કામ પણ ઘસારાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વળી […]
ઢીંચણના સાંધામાં ક્યારે અને કઈ જગ્યાએ દુખાવો થાય છે? આ રોગમાં, સાંધો જ્યારે ઉપયોગમાં હોય ત્યારે અને પછી દુખાવો થતો હોય છે. જેમકે, જ્યારે દર્દી ચાલે ત્યારે અથવા થોડું ચાલી લીધા પછી ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે. દુખાવો માત્ર સાંધાની આગળ જ થાય છે અથવા આજુબાજુના સ્નાયુઓમાં પણ થાય છે. કોઈ વાર તો જ્ઞાનતંતુ દ્વારા […]
જુદી જુદી ચિકિત્સાપદ્ધતિઓની સરખામણીમાં એક્યુપંક્ચર સંધિવા માટે વધુ અસરકારક છે. આ રોગમાં દર્દીને શરીરનાં હાથ, પગ અને કમર વગેરેમાંથી ક્યા ભાગમાં સાંધામાં વધુ તકલીફ છે, તે નક્કી કર્યા પછી સોય લગાડવામાં આવે છે. હાથનાં આંગળાં કાંડાં તેમજ કોણીમાં દુખાવો વધુ પ્રમાણમાં હોય તો તેને ત્યાંના સંધિવાના રોગ માટેના ખાસ પોઈન્ટ પર સોય લગાવવામાં આવે છે. […]
લકવાના દર્દી ખૂબ નિરાશ થઈ જાય છે જયારે કોઈ પણ માણસને લકવો થાય છે. ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ હોસ્પિટલમાં અથવા ઘેર તેને જોવા તેના લગભગ દરેક સગાં-નજીકના અને દૂરના તેમજ મિત્રો વગેરે ઉમટી પડે છે. અને તેની જિંદગી હવે કેવી નિરાશાજનક જશે તેનું દુઃખ વ્યક્ત કરે છે. પણ થોડા દિવસ પછી માત્ર નજીકના સગાં […]
એક્યુપંક્ચર સારવારની ખાસ વિશિષ્ટતા શું છે ? એક્યુપંક્ચરની સારવારમાં ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે અને તે શરીરમાં ઊંડે સુધી જાય છે. વળી એક સાથે આવાં અનેક પોઈન્ટ ઉપર સોય લગાવી શકાય છે. તેમજ તેને ઈલેક્ટ્રાસ્ટીમ્યુલેટર વડે ઉત્તેજિત કરવામાં આવે છે. તેથી તેની તીવ્રતા, ગતિ વગેરે એકદમ ચોક્કસ રહે છે. આમાં દરેકે દરેક પોઈટ […]
એક્યુપંક્ચર લકવાના દર્દી માટે એક નવી આશા સમાન છે. કારણ કે લકવામાં તેનાથી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચે, સુધારો થઈ શકે છે. લકવો માત્ર એક હાથનો અથવા એક પગનો થઈ શકે છે, બંને હાથનો થઈ શકે છે, શરીરની ડાબી કે જમણી બાજુના હાથપગનો થઈ શકે છે. કોઈ વાર એક બાજુનો હાથ અને બીજી બાજુનો પગ આવી […]
- 1
- 2